Sunday 21 January 2024

પરબ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તા વિશે નોંધ



 પરબ ડિસેમ્બર ૨૦૨૩ અંકની વાર્તા વિશે નોંધ

(૨૦૭ શબ્દો)

મી ટુ (ઉમા ચક્રવર્તી)

બદલાકથા એટલે કે રિવેન્જ સ્ટોરી.

ઉચ્ચ અભ્યાસ માટે નાયિકા વિદેશ જવાની છેલ્લી ઘડીની તૈયારીઓમાં વ્યસ્ત હોય એવી ક્ષણોમાં એની પરિચિત એક નહીં પણ બબ્બે વ્યક્તિનાં અપમૃત્યુ થઈ જાય છે. એક નાયિકાના મહાનિબંધના માર્ગદર્શક ડો. મજમુદારનું અને બીજું નાયિકાનાં પિતાના દૂરના મોટાભાઈ ઈન્દ્રજીતનું. બંનેની કરપીણ હત્યા થઈ છે. બંને કિસ્સામાં હત્યારાએ પોતાની પાછળ કોઈ સગડ છોડ્યા નથી.    

નાયિકા એ બંને જોડેની સ્મૃતિનું વર્ણન કરે છે. બંનેએ નાયિકાનું જાતીય શોષણ કર્યું છે, પિતાના મોટાભાઈએ નાયિકાનાં બાળપણમાં અને પ્રો. મજમુદારે નાયિકાની યુવાનીમાં.

સંપૂર્ણ વાર્તા પ્રથમ વ્યક્તિ કથનકેન્દ્ર પધ્ધતિએ રજૂ થાય છે. બંને અપમૃત્યુ માટે જાણે કોઈ ત્રાહિત વ્યક્તિ જવાબદાર હોય એમ રજૂઆત થાય છે. જો કે એ હત્યાઓ કોણે કરી હશે એ ઓળખી કાઢવું તદ્દન સરળ છે.

વાર્તાનું શીર્ષક સૂચક અને અર્થપૂર્ણ છે.

નવોદિત લેખકોના હાથે થાય એવી એક કરતાં વધુ ભૂલો વાર્તામાં છે. ઘણાં વાક્યમાં કર્તા અદ્રશ્ય છે. અનેક ઠેકાણે એકસાથે બબ્બે આશ્ચર્યચિહ્નો મૂકાયાં છે. કેટલેક ઠેકાણે વળી પ્રશ્નાર્થચિહ્ન અને આશ્ચર્યચિહ્ન ભેગાં મૂકાયાં છે. 

--કિશોર પટેલ, 22-01-24 09:46

###

(Disclaimer: લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 

 

No comments: