Saturday 25 November 2023




 

બાલભારતીમાં વાર્તાપઠન ૨૫ નવેમ્બર ૨૦૨૩

(૧૭૭ શબ્દો)

મુંબઈમાં પશ્ચિમના પરાં કાંદિવલીમાં બાલભારતી ખાતે દર મહિને ચોથા શનિવારે યોજાતા વાર્તાપઠનના કાર્યક્રમમાં આ વખતે અનોખો પ્રયોગ થયો. આધુનિક ટૂંકી વાર્તાયુગના એક મહત્વના વાર્તાકાર જયંત ખત્રીની એક જ દીર્ઘ વાર્તાનું પઠન થયું એના વિશે નિરિક્ષણો રજૂ થયાં.

જયંત ખત્રીની એક ઓછી ચર્ચાયેલી પણ અગત્યની વાર્તા “ઈશ્વર છે?” નું ભાવવાહી પઠન કર્યું બાલભારતીના મુખિયાશ્રી હેમાંગ તન્નાએ અને કોફીબ્રેક પછી વાર્તાકાર ખત્રી અને એમની આ વાર્તા વિશેનાં ઝીણવટભર્યાં નકશીદાર નિરિક્ષણો રજૂ કર્યાં એસએનડીટીના પ્રાધ્યાપક અને લોકકલા ભવાઈના અભ્યાસી ભાઈશ્રી કવિત પંડ્યાએ.   

સોનાચાંદીના દાગીના પર નકશીકામ કરનારો કારીગર ઈશ્વર ખોવાઈ જાય છે અને એના શોધકર્તાઓને એ ક્યાંય મળતો નથી. મળે છે ત્યારે ના મળ્યા બરાબર. એની હયાતિમાં એની કલાની કદર થતી નથી અને જ્યારે એની કદર થાય છે ત્યારે એ હયાત રહેતો નથી.

ઈશ્વર છે? જેવો પ્રશ્ન એક તરફ એના પિતા ચારે તરફ પૂછી રહ્યા છે ને બીજી તરફ સમગ્ર માનવજાતને રહી રહીને આ પ્રશ્ન થયા કરે છે કે ખરેખર ઈશ્વર છે? ઓછા પણ મરમી વાર્તારસિક શ્રોતામિત્રોની ઉપસ્થિતિમાં વાર્તાકળાના કસબી જયંત ખત્રીની સંઘેડાઉતાર વાર્તાની વિસ્તૃત ચર્ચા થઈ. પૈસાવસૂલ સાંજ.

--કિશોર પટેલ, 26-11-23 10:30

***

No comments: