Monday 13 June 2022

બુદ્ધિપ્રકાશ મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ

 

બુદ્ધિપ્રકાશ મે ૨૦૨૨ અંકની વાર્તા વિષે નોંધ 

(૧૧૬ શબ્દો)

છાપાં ફાડતો માણસ (હસમુખ કે. રાવલ):

જીવનને હકારાત્મકતા દ્રષ્ટિએ જોવાનો સંદેશ આપતી વાર્તા.

નાનપણમાં માતા જોડે બનેલી એક દુર્ઘટનાની નાયક પર ઘેરી અસર પડી છે. એને જીવનમાં સર્વત્ર દુષ્ટતા નજરે પડે છે. છાપાંમાં કેવળ દુર્ઘટનાઓના સમાચારો જ એને દેખાય છે. એટલે જ એ છાપાં ફાડયા કરતો હોય છે. આવી સ્થિતિમાંથી એને બહાર લાવે છે એની પત્ની. નાયકની પત્નીને સારાં દિવસો જાય છે. બાળકના આગમનની ખબર નાયકને હકારાત્મકતા બનાવે છે.   

--કિશોર પટેલ, 14-06-22; 09:00

###

(Disclaimer: આ લખાણ વાર્તાઓનું વિવેચન, સમીક્ષા કે રસાસ્વાદ નથી. આપણી ભાષામાં લખાતી સાંપ્રત વાર્તાઓની આ કેવળ એક દસ્તાવેજી નોંધ છે. અહીં રજૂ થયેલાં વિચારો જોડે સહમત થવું જરૂરી નથી. ભિન્ન મતનું સ્વાગત છે.)

###

 


No comments: